Aapnu Gujarat
ગુજરાત

સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં કલમ–૬૬(૨) ની જોગવાઇમાંથી મુક્તિ અપાઈ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ

ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ–૧૯૬૧ ની કલમ-૬૬(૨) મુજબ સહકારી મંડળીઓ નફાનાં કોઇ ભાગનો વિનિયોગ વાર્ષિક સાધારણ સભાની મંજુરી સિવાય અને અધિનિયમ, નિયમો અને ઉપનિયમોને અનુરૂપ હોય તે સિવાય કરી શકતી નથી. આ જોગવાઇને કારણે સહકારી મંડળીઓ સાધારણ સભાની મંજુરી વિના તેના સભાસદોને ડિવિડન્ડ વહેંચી શકતી નથી, કે પછી રાજ્ય સહકારી સંઘને શૈક્ષણિક ફંડ પણ આપી શકતી નથી.

કોવિડ–૧૯ ની પરસ્થિતિના કારણે લોકો જ્યારે આર્થિક સંકળામણ અનુભવી રહ્યા હોય ત્યારે સહકારી મંડળીઓના સભાસદોને તેમના નાણાંકીય હકો સમયસર મળે તે ખૂબ જ જરૂરી છે. જેથી તાજેતરમાં સરકારશ્રીના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરનાં તા. ૩૦ જુલાઇ ૨૦૨૧ ના જાહેરનામાથી આ કાયદાની કલમ–૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે તમામ સહકારી મંડળીઓને વ્યવસ્થાપક કમિટીની મંજુરીથી આગામી વાર્ષિક સાધારણ સભામાં બહાલી મેળવવાની શરતે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના નફાનો વિનિયોગ કરવા સારૂ આ કાયદાની કલમ–૬૬(૨) ની જોગવાઇમાંથી મુક્તિ આપવામાં આવે છે. જેની તમામ સહકારી સંસ્થાઓએ નોંધ લેવા સુરેન્દ્રનગર જિલ્લા રજિસ્ટ્રારશ્રી એસ.બી.ચૌહાણની યાદીમાં જણાવાયુ છે.

Related posts

બનાવટી નોટોનાં કેસમાં ચાર શખ્સોને મેટ્રોપોલીટન કોર્ટ દ્વારા છ દિવસના રિમાન્ડ મંજુર

aapnugujarat

SOU પ્રવાસીઓ માટે પાંચ દિવસ બંધ રહેશે

editor

ખેડૂતને આજથી ઉનાળુ ખેતી માટે સિંચાઇ પાણી નહીં મળે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1