સુરેશ ત્રિવેદી, ભાવનગર
સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં પાઠ્ય પુસ્તકો વિનામુલ્યે આપવામાં આવતા હોય છે ત્યારે પાલીતાણા તળાજા રોડ પર આવેલા સોહિલભાઈ નામના ભંગારી ના ડેલામાં કોંગ્રેસના જાગૃત અને આગેવાનો દ્વારા તપાસ કરતા પ્રાથમિક શાળા ના પાઠ્યપુસ્તકો મળ્યા જેમાં ધોરણ ૧ થી ધોરણ ૮ સુધીના સરકારી શાળામાં વિનામૂલ્યે વિતરણના પાઠ્યપુસ્તકો મળી આવ્યા ઘટનાને લઇને ચકચાર મચી જવા પામી છે જેમાં પાલીતાણા સ્થાનિક આગેવાનો દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે આ પુસ્તક કઈ શાળાના છે કોણ વેચવા આવ્યું તે અંગે તંત્ર દ્વારા તપાસ કર્યા બાદ જાણવા મળશે હાલ તળાજા રોડ પર ભંગારના ડેલામાં આ પુસ્તકો મળી આવ્યા છે.