મહેન્દ્ર ટાંક, ગીર-સોમનાથ
અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ ની ઉના તાલુકા ના હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ધર્મેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. અને બેઠક માં આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત પ્રદેશ માં સમાજ ના ઉત્થાન માટે ના કાર્યક્રમો ના આયોજનો ની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. જેમાં આગામી માસમાં જ્યારે બાળકો ની શાળાઓ શરૂ થઈ રહેલી હોય ગરીબ અને જરૂરીયાતમંદ બાળકો ને નોટબુક અને અન્ય શૈક્ષણિક સામગ્રી નું વિતરણ, તથા સ્વતંત્રતા દિવસે વૃક્ષારોપણ, વગેરે જેવા કાર્યક્રમો યોજવા માટે નું માર્ગદર્શન રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું.
આ સંગઠનાત્મક બેઠક માં ગુજરાત પ્રદેશ કીસાન મોરચા પ્રમુખ હરેશભાઈ પુજારા અને જિલ્લા ના પદાધિકારીઓ અને સામાજિક કાર્યકરો તેમજ આગેવાનો ની હાજરી નોંધનીય હતી. જેમાં અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત શર્મા દ્વારા ટેલીફોનીક ચર્ચા કરી હતી. સાથે સોમનાથ જિલ્લા પ્રમુખ સંદિપભાઈ સાપાનેર
અને ઉના તાલુકા પ્રમુખ રસીકભાઇ સોલંકી મહિલા મોરચા પ્રમુખ જાગૃતિ બેન બામણીયા ઉપસ્થિત રહ્યા હતા.