ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
અંદાજે 4 મહીના પહેલા ચોટીલા તાલુકાના સુરજદેવળ મંદિર ખાતે યોજાયેલ કાઠી મહાસંમેલનમાં અમરેલી ડીએસપી નિર્લિપ્ત રાય વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપવા મામલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં સુરેન્દ્રનગર પોલીસે ગુજરાત રાજ્ય કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતની અમદાવાદથી સુરેન્દ્રનગર પોલીસે અટકાયત કરી હતી. અને સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ડીવાયએસપી એચ.પી દોશી એલસીબી પીઆઈ ડી.એમ. ઢોલ અને બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ કુરેશી સાહેબ નેજા હેઠળ બી ડીવીઝન પોલીસ મથકે રાખવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર કોર્ટ વાય.એમ. કારીયાણી અને સાજીદ કારિયાણી ની ધારદાર દલીલ ના અંતે રાજ શેખાવતના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.