માલદે ગોહેલ, વેરાવળ
વેરાવળમા પ્રજાકીય – સેવાકીય કામગીરીના ભાગરૂપે પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયા દ્વારા વેરાવળના મામલતદારને આવેદન પત્ર પાઠવી અનાજ પુરવઠાથી વંચિત ગરીબોને ન્યાય આપવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. આ તકે ઉષાબેન કુસકીયાએ રજુઆત કરી હતી કે, ગરીબોને મળવાપાત્ર અનાજ પુરવઠો રેશનકાર્ડ ની ઠપ થયેલ કામગીરીના કારણે અસંખ્ય ગરીબ પરિવાર સરકાર ની યોજનાના અનાજ ના લાભથી વંચિત રહી જવા પામેલ છે. તેથી તાકીદે યોગ્ય કરી અનાજનો જથ્થો પૂરતો મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે. મહિલાઓ આ મુદ્દે વિશાળ સંખ્યામાં કચેરીમાં ઘસી આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયા સહીત મહિલા અગ્રણીઓ જોડાયા હતા.