Aapnu Gujarat
ગુજરાત

હ્યુમેનીસ્ટ રેશનાલીસ્ટ એશોશિયેશનના પ્રમૂખ ડો.સૂજાત વલી દ્વારા બાબા રામદેવને સજા કરવા માંગ

પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,યોગગુરૂ બાબા રામદેવના એલોપોથી ડોકટર અને દવા પર વિવાદાસ્પદ નિવેદનને લઇને ફરી એકવાર વાર વિવાદમાં આવ્યા છે.જેને લઈને ભારતભરના તબીબી જગતમા રોષ જોવા મળી રહ્યો છે.પંચમહાલ જીલ્લાના તબીબોમાં પણ ભારે રોષ બાબા રામદેવના નિવેદને લઈ જોવા મળ્યો છે.બાબા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી છે.

હ્યુમેનીસ્ટ રેશનાલીસ્ટ એશોશિયેશન પંચમહાલના પ્રમૂખ ડો. સુજાત વલી દ્વારા ભારત સરકારના ગૃહમંત્રીને એક લેખિત રજુઆત કરવામા આવી છે.જેમા જણાવામાં આવ્યુ છે.બાબા રામદેવ સામે દેશદ્રોહ અને બંધારણ વિરૂધ્ધના કાર્ય માટે સખત પગલા ભરવાનુ રેશનાલિસ્ટ એશોશિયેશન માંગણી કરે છે.તા ૨૩-૨૪ ના રોજ બાબા રામદેવના વૈજ્ઞાનિક સત્યોની વિરૂધ્ધ એલોપોથી ડોકટર્સ તથા સારવાર અંગેના નિવેદનો કરેલા છે.તે દેશદ્રોહ યૂક્ત અને બંધારણની વિરૂધ્ધના છે.માટે દેશદ્રોહ અને દેશદ્રોહની પ્રવૃતિ માટે જેલભેગા કરવા અને સર્વ સંપત્તિ જપ્ત કરવા માંગણી કરીએ છે.

તેમના કહેવાતા રિસર્ચ અને તલસ્પર્શી અભ્યાસ કરવાની જરૂર છે.જનતાને ગેરમાર્ગ દોરવા અમે જન્મટીપની સજાની માંગણી કરીએ છે.

Related posts

હવે ગુજરાત કોંગી સંગઠનમાં ફેબ્રુઆરી બાદ મોટા ફેરફારો

aapnugujarat

રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસોથી વાલ્મીકિ સમાજમાં નામાંકન દર વધીને ૯૯% થયો : શિક્ષણમંત્રીએ વ્યક્ત કર્યો આનંદ

aapnugujarat

મ્યુનિસિપલ મિલ્કતવેરા વિભાગનું વધુ એક કૌભાંડ : કરદાતાઓને ખાલી મિલ્કત મામલામાં ૬૭ ટકા જ લાભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1