રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના નાચનામાં માણસજાતને શરમમાં મૂકતો બનાવ સામે આવ્યો છે. અહીં એક પિતાએ તેની પુત્રવધૂ સાથે મળીને સગા દીકરાની હત્યા કરી નાખી છે. પોલીસે હત્યારા પિતા અને પુત્રવધૂની ધરપકડ કરી છે. આ બનાવ ૨૫ એપ્રિલનો છે, પરંતુ તેનો ખુલાસો તાજેતરમાં થયો છે. હત્યાનું કારણ સસરા અને પુત્રવધૂ વચ્ચે આડા સંબંધ છે. હત્યા બાદ વ્યક્તિએ તેની પુત્રવધૂ સાથે મળીને સવારે દીકરાને દફન કરી દીધો હતો. હત્યા માટે બંનેએ જે રસ્તો અપનાવ્યો હતો તેના વિશે જાણીને પણ થરથરી જવાય.હકીકતમાં મૃતકના ભાઈ ભોજરામે પોલીસમાં ફરિયાદ આપીને તેના ભાઈ હીરાલાલની પત્ની પારલે અને સાળા પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. જે બાદમાં તપાસમાં માલુમ પડ્યું કે, મૃતકની પત્ની પારલેને તેના સસરા મુકેશ કુમાર સાથે આડા સંબંધ હતા. બંનેએ મળીને હીરાલાલની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે, મૃતકની પત્ની પારલેના તેના સસરા સાથે પ્રેમ સંબંધ હતા, જેના પગલે સસરા અને પુત્રવધૂએ મળીને હીરાલાલની હત્યા કરી નાખી હતી.પોલીસે જણાવ્યું હતું કે, મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવ્યા બાદ હીરાલાલના મૃતદેહને કબર ખોદીને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.પોલીસના જણાવ્યા પ્રમાણે ૨૫ એપ્રિલના રોજ રાત્રે હીરાલાલનું કરંટ લાગવાથી મોતની સૂચના ૨૬ એપ્રિલના રોજ મળી હતી. ઘટનાના ૧૦ દિવસ પછી મૃતકના ભાઈએ રિપોર્ટ આપતા તેના ભાઈની પત્ની પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. જે બાદમાં પોલીસે પારલેની અટકાયત કરી હતી અને તેની આકરી પૂછપરછ કરી હતી.પૂછપરછ દરમિયાન પારલેએ જણાવ્યું હતું કે, ૨૫ એપ્રીલના રોજ લીંબુ શિકંજીમાં પતિ હીરાલાલને ઊંઘની ગોળીઓ પીવડાવી દીધી હતી. રાત્રે હીરાલાલ જ્યારે ગાઢ નિંદ્રામાં હતો ત્યારે બંનેએ હીરાલાલના કાન પર વીજળીનો તાર મૂકી દીધો હતો અને કરંટ ચાલુ કરી દીધો હતો. ૧૫ મિનિટ પછી વીજળીનો તાર હટાવ્યો ત્યારે હીરાલાલનું મોત થઈ ગયું હતું. હીરાલાલનું કુદરતી રીતે મોત થયાનું કહીને બંનેએ મૃતદેહને દફન કરી દીધો હતો.મૃતક હીરાલાલના ભાઈએ પારલે પર હત્યાનો આરોપ મૂકતા અમુક તસવીરો પણ રજૂ કરી હતી. જેમાં હીરાલાલના મૃતદેહ પર દાઝી જવાના નિશાન હતા. આ વાતને લઈને પોલીસની શંકા મજબૂત બની હતી. પારલેએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેનો પતિ કોઈ કામ કરતો ન હતો અને દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. એટલું જ નહીં તેનો પતિ વારંવાર તેની સાથે ઝઘડો કરતો હતો. આ કારણે તેણીએ તેના સસરા સાથે આડા સંબંધ બાંધ્યા હતા.
પાછલી પોસ્ટ