Aapnu Gujarat
મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : કલાકારો કામ કરે કે ના કરે પ્રોડ્યૂસર દર મહિને પગાર આપે છે

કોરોનાને કારણે ઘણાં ટીવી શોનું શૂટિંગ બંધ થઈ ગયું છે તો કેટલાંક જાણીતા પ્રોડ્યૂસર્સ પોતાની ટીમની સાથે મુંબઈની બહાર શૂટિંગ કરી રહ્યાં છે. ઘણાં પ્રોડ્યૂસર્સ મહારાષ્ટ્રમાં અનલૉક થાય તેની રાહમાં છે. આવી કપરી પરિસ્થિતિમાં અનેક લોકોને નુકસાન થઈ રહ્યું છે. એક્ટર્સને શૂટિંગ ક્યારે શરૂ થશે તેની સાથે સાથે પોતાનું પેમેન્ટ ક્યારે આવશે તેની પણ ચિંતા છે. જોકે, આ પરિસ્થિતિમાં પણ એક એવો શો છે, જેના એક્ટર્સ શૂટિંગ ના કરે તો પણ વધુ નુકસાન થતું નથી. ટીવી સિરિયલ ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક્ટર્સ જ્યાં સુધી શો સાથે જોડાયેલા હોય છે ત્યાં સુધી પ્રોડ્યૂસર અસિત મોદી કલાકારો કામ કરે કે ના કરે દર મહિને બેઝિક પગાર આપે છે. દરેક એક્ટરના અનુભવના હિસાબે બેઝિક સેલરી નક્કી કરેલી છે. બેઝિક સેલરી ઉપરાંત મહિનામાં જે-તે એક્ટર કેટલાં દિવસ શૂટિંગ કરે છે, તે પ્રમાણે ફી મળે છે. આ ફી દર ત્રણ મહિને આપવામાં આવે છે, જ્યારે બેઝિક સેલરી દર મહિને મળે છે.
સિરિયલમાં અબ્દુલનું પાત્ર ભજવનાર શરદ સાંકલાએ કહ્યું હતું, ’આ સમયે અમારી ટીમમાંથી માત્ર એક્ટર્સ (નટુકાકા-અબ્દુલ, એક્ટ્રેસિસ તથા ટપુસેના સિવાયના તમામ એક્ટર્સ ) ગુજરાત શૂટિંગ માટે ગયા છે. શોની સ્ટોરીલાઈન કોરોનાકાળમાં ચાલતા બ્લેક માર્કેટિંગ દવાઓની આસપાસ છે. આ એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના માત્ર પુરુષો જ જોવા મળશે. શોમાં હું દુકાનદારનું પાત્ર ભજવું છું અને આ સ્ટોરીલાઈનમાં હું ફિટ બેસતો નથી. મારી જેમ જ ઘણાં પાત્રો આ સ્ટોરીલાઈન માટે યોગ્ય નથી. આથી અમે અત્યારે મુંબઈમાં જ છીએ. થોડાં અઠવાડિયા અમે ઘરે જ રહીશું.’ શરદે કહ્યું, ’અમારી ઇન્ડસ્ટ્રીમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. મોટાભાગના એક્ટર્સની આવક શૂટિંગ પર જ નિર્ભર કરે છે. આવા સમયે અમે ખુશનસીબ છીએ કે અમારા પ્રોડ્યૂસર અમારું ઘણું જ ધ્યાન રાખે છે. અમે શૂટિંગ ના કરીએ તો પણ અમને બેઝિક સેલરી આપવામાં આવે છે. અમારામાંથી કોઈને પણ કોઈ જાતની તકલીફ નથી.’ શોમાં નટુકાકાનું પાત્ર ભજવનાર એક્ટર ઘનશ્યામ નાયકને ગયા વર્ષે કેન્સર થયું હતું. તેઓ દોઢ વર્ષમાં માત્ર ૪-૫ એપિસોડ શૂટ કરી શક્યા હતા. જોકે, તેમના અકાઉન્ટમાં દર મહિને સેલરી જમા થતી હતી. ઘનશ્યામ નાયકે કહ્યું, ’અસિત મોદી મારા માટે ભગવાનની જેમ છે. છેલ્લાં ૬-૭ મહિનાથી હું કામ કરતો નથી. પહેલાં લૉકડાઉનને કારણે અને પછી મારી તબિયત બગડી. તેમ છતાંય અસિતજીએ મને પૂરું પેમેન્ટ આપ્યું છે. તે જ પૈસાથી મારી સારવાર થઈ શકી. તેમણે આશ્વસાન આપ્યું હતું કે જો હું તબિયતને કારણે શૂટિંગ ના કરી શકું તો પણ મારી સેલરી તે કાપશે નહીં. જરૂર પડશે ત્યારે સાથે આપશે. આનાથી વધારે હું શું માગી શકું છું. તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો.’

Related posts

સુબ્રત દત્તાની આવનારી વેબ સિરીઝ લાલ બઝાર સચ્ચાંઈ અને બુરાઈના સંઘર્ષ પર આધારિત

editor

પ્રસિદ્ધિથી મુક્તિ તેમજ શાંતિ ઇચ્છુ છું : અમિતાભ બચ્ચન

aapnugujarat

કરણ સાથે ફિલ્મોની ઓફર મળી રહી છે : બિપાશા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1