Aapnu Gujarat
ગુજરાત

સ્વામી વિવેકાનંદ જયંતી નિમિતે ઑન લાઈન હિન્દી કવિ સંમેલન યોજાયું

તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સ્વામી વિવેકાનંદ જ્યંતિ નિમિત્તે ઓનલાઈન હિંદી કવિ સંમેલન યોજાયું જેમાં મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા કર્ણાટકના ઈકાઈના કવિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્ય અતિથિ તરીકે ફિલ્મ અભિનેતા અને લેખક સુનિલ દત્ત મિશ્રા છત્તીસગઢ, વિશિષ્ટ અતિથિ તરીકે ડૉ. સુનિલ પારીટ બેલગાંવ કર્ણાટકના જ્ઞાનોદય સાહિત્ય સેવા સંસ્થાના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યાં હતાં. સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ગુલાબચંદ પટેલ દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અતિથિઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ગુલાબચંદ પટેલના કાર્યની સરાહના કરી હતી તથા અમદાવાદના કાવ્ય કુલ સાહિત્ય સેવા સંસ્થાના અધ્યક્ષ, પ્રસિધ્ધ કવિયિત્રી નલિની કૃષ્ણા શર્મા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં સરસ્વતી વંદના સુભાશિની માલવિયા પ્રયાગ રાજ દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન આકાશ અગ્રવાલ કાવ્ય વાણી સાહિત્ય સેવા સંસ્થા લહાર મધ્યપ્રદેશ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુલ ૯૦ કવિઓએ ભારતભરમાં થી જોડાઈ સ્વામી વિવેકાનંદ જયંતી નિમિતે ઑનલાઈન પોતાની રચનાઓ પ્રસ્તુત કરી હતી.
આ પ્રસંગે એડવોકેટ કાંતિભાઈ પટેલ ઈન્ડિયન લાયન્સ દ્વારા આભાર માન્યો હતો અને અંતમાં રાષ્ટ્ર ગીત ડૉ ગુલાબચંદ પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
(હેવાલ :- મહેશ આસોડીયા, ગાંધીનગર)

Related posts

ગોપાલપુર પાસે એલસીબીએ દારૂ ઝડપ્યો

editor

દેત્રોજના જીવાપુરા પાસે અકસ્માતમાં યુવાનનું મોત

aapnugujarat

કચ્છના ૧૧ ડેમોનો તળિયા દેખાવા લાગ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1