Aapnu Gujarat
Uncategorized

ઉપલેટા મોજ ઈરીગેશનના પાણી સોસાયટીઓ અને કારખાનામાં ઘુસ્યા

ઉપલેટા શહેરના પોરબંદર રોડ પર આવેલ હિંદ વે બ્રિજ પાસે કેનાલ છલકાતા પાણી ખેતરોને બદલે સોસાયટીઓમાં ઘુસી ગયા છે. મોજ ઈરીગેશનના જમણા કાંઠાની બે નંબરની માઇનોર કેનાલમાં કચરો ફસાતા પાણી ઉભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તંત્રની ઘોર બેદરકારીને કારણે દર વર્ષ આવો પાણીનો પ્રશ્ન સર્જાય છે. પોરબંદર રોડ પર આવેલી મુરલીધર આહિર સમાજ પાસેની સોસાયટીઓ અને કારખાનાઓમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોને પાણીમાંથી પસાર થવું પડે છે તેમજ કારખાનાઓમાં પાણી ઘુસી જતા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. દર વર્ષે સર્જાતા પ્રશ્નને વહેલી તકે નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

મોટી પાનેલી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

editor

नवंबर में पैसेंजर व्हीकल्स की थोक बिक्री 13% बढ़ी

editor

સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે સરદાર પટેલે લીધેલ સંકલ્પની યાદમાં સંકલ્પ દિનની સોમનાથ ખાતે ભવ્ય ઉજવણી..

aapnugujarat

Leave a Comment

UA-96247877-1