કોરોના સંક્રમણ સામે સાવચેત રહી અન્યોને જાગૃત કરવા માટે આજે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ધોરાજી સુપ્રીમટેન્ડેન્ટ ઓફિસર જયેશ વસ્ટીયન, રાજ બેરા ની આગેવાની હેઠળ પ્રતિજ્ઞા લઇને સૌ કર્મચારીઓ પ્રતિબદ્ધ થયા હતા. ધોરાજી હોસ્પિટલ ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં ડૉક્ટર જયેશ વસ્ટિયન, ડૉક્ટર રાજ બેરા, ડૉક્ટર અંકિતા પરમાર, પાર્થ મેધ, નાથી ગીરાબેન ગૌસ્વામી દ્વારા સિમિત સંખ્યામાં ઉપસ્થિત રાખવામાં આવેલ અધિકારી – કર્મચારીઓને માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળવાની, વ્યકિતઓ વચ્ચે ૬ ફુટ અંતર રાખવાની, વારંવાર સાબુથી હાથ ધોઇને સેનેટાઇઝ કરવાની, આયુષની ઉપચાર પદ્ધતિ અપનાવવાની, યોગ કરવાની, પરિવારની કાળજી લેવાની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)