બિહારની રાજધાની પટનામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જયંત મંડળના ઉપપ્રમુખ રાજેશ કુમાર ઝા ‘રાજુ બાબા’ ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બેઉર પોલીસ મથક હેઠળ તેજ પ્રતાપ નગર સ્થિત સીતારામ ઉત્સવ હોલ નજીક રાજુ બાબાનું મંદિર નજીક બાઇક પર સવાર બે માસ્ક પહેલીને આવેલા ગુનેગારોએ હત્યા કરી નાંખી. આ ઘટના સવારે ૬ વાગ્યાની છે, જ્યારે રાજુ બાબા મોર્નિંગ વોક પર હતા. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સાથોસાથ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. માત્ર બે દિવસ પહેલા જ રાજેશકુમાર ઝા ઉર્ફે રાજુ બાબા ભાજપમાં જોડાયા હતા.
મળતી માહિતી મુજબ, મૃતક પ્રોપર્ટી ડીલર તરીકે પણ કામ કરતા હતા. ગુનેગારો દ્વારા આ હત્યાની ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી, પરંતુ જમીન વિવાદ અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે વિગતવાર માહિતીની રાહ જોવાઇ રહી છે.
આગળની પોસ્ટ