Aapnu Gujarat
ગુજરાત

તલોદની ખારી નદીમાં પુર

સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે તલોદ તાલુકાના અમરાપુર પાસેથી પસાર થતી ખારી નદીમાં પુર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બંન્ને કાંઠે વહેતી જોવા મળી રહી છે. આ અંગે તલોદ મામલતદાર દ્વારા નદી કિનારે કોઈએ જવું નહીં તેવી સુચના આપી દેવામાં આવી છે. હિંમતનગરમાં પણ સાબર ડેરી પાસે નેશનલ હાઇવે ૮ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહનચાલકોના વાહન બંધ થઈ જતા વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા અને ખેતરોમાં પણ ભારે પાણી ભરાઈ ગયા છે.


(અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ડૉ. ગુલાબચંદ પટેલની નારાયણ સ્પેશિયલ એવોર્ડ ૨૦૨૦ માટે પસંદગી કરાઈ

editor

Fire breaks out in Hospital at Surat

editor

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધારવા કટિબદ્ધતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1