સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લાં કેટલાય સમયથી આવો કોઈની મદદ કરીએ ગ્રુપ ચાલી રહ્યું છે જેમાં કોરોના જેવી વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિ હતી ત્યારે સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લામાં અંદાજે ૧૭ હજાર કરતાં પણ વધારે કરીયાણાની કીટ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આ ગ્રુપ અગ્રેસર રહ્યું હતું.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ગંભીર હોવાને લઇ મહારાષ્ટ્ર સરકારે વર્તમાન સમય માં પણ લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે આ ગ્રુપની સેવા મુંબઈ શહેરમાં લોકો સુધી સેવા પહોંચી રહી છે.
સાબરકાંઠા તથા અરવલ્લી જીલ્લાના અંદાજે ૧૩ કરતાં પણ વધારે પરિવાર મુંબરમાં લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાની રોજીરોટી છીનવાઇ ગઇ છે ત્યારે આવો કોઈની મદદ કરીએ ગૃપ દ્વારા મુંબઈના આ પરિવારને આર્થિક સહાય કરવામાં આવી હતી અને દૈનિક જરૂરિયાત મુજબ તમામ પરિવારને કરીયાણાની કીટ પણ પહોંચાડવા મદદરૂપ આ ગ્રુપ રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સાચા અર્થમાં આવો કોઈની મદદ કરીએ ગ્રુપે માનવ સેવા એ જ પ્રભુ સેવા સુત્રને સાકાર કરી બતાવ્યું છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)