Aapnu Gujarat
ગુજરાત

તલોદની ખારી નદીમાં પુર

સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે તલોદ તાલુકાના અમરાપુર પાસેથી પસાર થતી ખારી નદીમાં પુર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બંન્ને કાંઠે વહેતી જોવા મળી રહી છે. આ અંગે તલોદ મામલતદાર દ્વારા નદી કિનારે કોઈએ જવું નહીં તેવી સુચના આપી દેવામાં આવી છે. હિંમતનગરમાં પણ સાબર ડેરી પાસે નેશનલ હાઇવે ૮ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહનચાલકોના વાહન બંધ થઈ જતા વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા અને ખેતરોમાં પણ ભારે પાણી ભરાઈ ગયા છે.


(અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

અમદાવાદમાં ૫૨ બ્રિજ છે ૨૬ નવા બ્રિજનું નિર્માણ થશે

aapnugujarat

બાઈકચાલક ઘોડા સાથે અથડાયો : બંન્નેનાં મોત

aapnugujarat

છોટા ઉદેપુરમાં દારૂની ખેપ મારતો પોલીસ ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1