Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુસ્લિમ નેતાએ રામ મંદિર તોડી મસ્જિદ બનાવવાની આપી ધમકી

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન અને શિલાન્યાસના એક દિવસ બાદ ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશને ભડકાઉ નિવેદનબાજી કરી છે. એસોસિએશનના અધ્યક્ષ સાજિદ રશીદીએ જણાવ્યું છે કે, રામ મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવીશું. વિવાદાસ્પદ પર ક્યારેય મંદિર હતું જ નહીં. ત્યાં બાબરી મસ્જિદ હતી અને મસ્જિદ રહેશે.
રશીદીએ જણાવ્યું કે, ઈસ્લામ કહે છે કે મસ્જિદ હંમેશા મસ્જિદ જ રહેશે. કંઈક બીજું નિર્માણ કરીને મસ્જિદ તોડી શકાય નહીં. મારા મતે બાબરી મસ્જિદ ત્યાં હતી અને તે હંમેશા મસ્જિદ તરીકે ત્યાં રહેશે. મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી પરંતુ હવે આવું થઈ શકે છે. મંદિર તોડીને ત્યાં ફરીથી મસ્જિદ બનાવી શકાય છે.એટલું જ નહીં મૌલાનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન તાક્યું છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાને રામ મંદિરના ભૂમિ પૂજનને જઈને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.

Related posts

ऑपरेशन सनशाइन २ : बॉर्डर पर भारत और म्यांमार की सेना की साझा कार्रवाई

aapnugujarat

किसान मानधन योजना 12 सितंबर को होगी लांच

aapnugujarat

છત્તીસગઢમાં નક્સલવાદીના હુમલામાં બે જવાનો શહીદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1