સાબરકાંઠામાં કોરોનાના કેસમાં વધારો થતાં તાત્કાલિક અસરથી હિંમતનગર વહેપારી એસોસિએશન દ્વારા દુકાનો ચાલુ રાખવા માટેના સમયમાં ફેરફાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે હિંમતનગર સહિત જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવની સંખ્યા વધી રહી છે ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ વહેપારી મંડળે દુકાન સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ચાલુ રાખવા નિર્ણય લીધો છે જેમાં તમામ વહેપારીઓ અને અલગ-અલગ એસોસિએશન દ્વારા આ નિર્ણયને આવકારાયો છે.
હિંમતનગરના તમામ વિસ્તારમાં બપોરે બે વાગ્યા બાદ દુકાનો બંધ હાલતમાં જોવા મળી રહી છે. આવનારા ૧૦ દિવસ માટે આ નિયમ એસોસિએશન દ્વારા લાગુ કરવામાં આવ્યો છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
આગળની પોસ્ટ