Aapnu Gujarat
ગુજરાત

પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જનવેદના આંદોલનની સમીક્ષા બેઠક મળી

‘બેરોજગારીનું અંધારું ને બેકારી ની રાત, જન વેદના લાવે ઉજળું પ્રભાત’ ના નારા સાથે.આગામી તારીખ ૩૦ નવેમ્બરના રોજ કોંગ્રેસ જનવેદના આંદોલન અમદાવાદ ખાતે કરવા જઈ રહ્યું છે જેના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પાટણ તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રભારી ભરતસિંહ વાઘેલા, ધારાસભ્યશ્રી ડો. કિરીટ પટેલ, જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભાવિક રામી, તાલુકા પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ શંકરલાલ મોદી, તાલુકા પંચાયત પ્રમુખ દર્શિત પટેલ, એસસી સેલના જિલ્લા પ્રમુખ પ્રવીણ રાઠોડ, પાટણ નગર પાલિકાના ઉપ પ્રમુખ લાલેશ ઠક્કર, જિલ્લા તાલુકાના સદયસ્યો, કોર્પોરેટરો, જિલ્લા , તાલુકા, શહેરના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ફૂલકી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલથી સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી પગપાળા સંઘ કાઢવામાં આવ્યો

aapnugujarat

જખૌ પાસેથી ભારતીય કોસ્ટગાર્ડે 300 કરોડનું હેરોઇન જપ્ત કર્યુ

aapnugujarat

અંધશ્રદ્ધાએ હદ પાર કરાવી:ઝાલોદના ધાવડિયામાં “તું ડાકણ છે, મારા છોકરાને ખાઈ ગઈ છે” તેમ કહી ચાર લોકોએ પથ્થરમારો કર્યો, મહિલા સહિત બે ઈજાગ્રસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1