Aapnu Gujarat
ગુજરાત

દિયોદરમાં ગજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશજીનું વિસર્જન કરાયું

છેલ્લાં સાત દિવસથી ગણેશ મહોત્સવ ધામધૂમ થી ઉજવાઈ રહ્યો છે ત્યારે દિયોદરમાં પણ શ્રી ગજાનંદ યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. દિયોદર આઝાદ ચોકમાં સાત દિવસ ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવતી હતી અને આરતી તેમજ મહાપ્રસાદ પણ ધરવામાં આવ્યો હતો. જોકે સાત દિવસ ગરબાનુંસુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગત રોજ શ્રી ગજાનંદ યુવક મંડળ દ્વારા ગણપતિજીને વાજતે ગાજતે વિશ્વેશ્વર ખાતે વિસર્જીત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ગજાનંદ યુવક મંડળના સભ્યો હાજર રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

CM appeals to contribute generously in Chief Minister Relief Fund *****

aapnugujarat

સુરેન્દ્રનગર જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિધ્‍ધ

editor

બોપલ : બુકાનીધારી ટોળકી ત્રાટકી, ૪ બાઇક ચોરી ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1