છેલ્લાં સાત દિવસથી ગણેશ મહોત્સવ ધામધૂમ થી ઉજવાઈ રહ્યો છે ત્યારે દિયોદરમાં પણ શ્રી ગજાનંદ યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. દિયોદર આઝાદ ચોકમાં સાત દિવસ ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવતી હતી અને આરતી તેમજ મહાપ્રસાદ પણ ધરવામાં આવ્યો હતો. જોકે સાત દિવસ ગરબાનુંસુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગત રોજ શ્રી ગજાનંદ યુવક મંડળ દ્વારા ગણપતિજીને વાજતે ગાજતે વિશ્વેશ્વર ખાતે વિસર્જીત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ગજાનંદ યુવક મંડળના સભ્યો હાજર રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)
પાછલી પોસ્ટ