નર્મદા જિલ્લા પોલીસને લગતી ફરીયાદોના નિવારણ માટેનો કાર્યક્રમ આગામી તા.૨૯ મી જૂન, ૨૦૧૭ ના રોજ પ્રજાજનોની સવારે ૧૧=૦૦ કલાકે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોજાશે. પોતાની વ્યક્તિગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ આવતો ન હોય તેવી ફરિયાદો તા.૨૨/૦૬/૨૦૧૭ સુધીમાં નિયત નમુનામાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા-રાજપીપળાને અરજી કરવાની રહેશે. અરજીમાં નામ, પુરૂ સરનામુ અને ટેલીફોન, મોબાઇલ નંબર લખવાનો રહેશે. પોલીસ ખાતાને લગતા પ્રશ્નોની અરજદારે જે કંઇ રજુઆત કરી હોય અને કોઇ પ્રત્યુતર ન મળ્યો હોય તો તેની રજુઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. એક અરજીમાં એક જ પ્રશ્નની રજુઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે. અરજી ઉપર “પોલીસને લગતા જીલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ” એમ સ્પષ્ટ રીતે લખવાનુ રહેશે. તા.૨૯/૦૬/૨૦૧૭ રોજ સવારે ૧૧=૦૦ કલાકે જેમણે જવાબો રજુ કરવાના છે, તેવા પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીઓ તથા અરજદારે પોતાના પ્રશ્નોના આધાર પુરાવા સહિત હાજર રહેવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા-રાજપીપળાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.