Aapnu Gujarat
Uncategorized

સોમનાથમાં શનિવાર અને રવિવારે ગૌ સેવા સંવર્ધન તથા ગૌવંશ તંદુરસ્તી હરિફાઈનું આયોજન

શ્રી સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા દ્વારા સોમનાથ ખાતે આગામી તા.૨૭/૭/૧૯ તથા તા.૨૮/૭/૧૯ દરમ્યાન ગૌ સેવા સંવર્ધન તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઇનું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમમાં ગૌસેવા પરીસંવાદ જેમાં ગીર ગાયની ઉત્પતીને મહત્વ, ગીર ગાયનું દૂધ, છાણ, ગૌમુત્ર, અને પેદાશોનું મહત્વ, ઉપયોગીતા ગીર ગાય આજીવિકાનું સાધન વિગેરે અલગ-અલગ વિષયો ઉપર તજજ્ઞો, અનુભવીઓ, નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તેમજ આ તકે બીજા દિવસે ગૌવંશ તંદુરસ્તી હરીફાઇનું પણ આયોજન રાખવામાં આવેલ છે જેમાં આજ દિન સુધી કુલ ૧૭૩ જેટલી એન્ટ્રી જૂનાગઢ – ગીરસોમનાથ જીલ્લામાંથી નોંધાયેલ છે.
આ કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને પરસોતમભાઇ રૂપાલા (કૃષિ અને ખેડુત કલ્યાણ માન.રાજ્ય મંત્રીભારત સરકાર) તેમજ મુખ્ય મહેમાન તરીકે ડો.વલ્લભભાઇ કથીરીયા (અધ્યક્ષરાષ્ટ્રીય કામધેનું ગૌસેવા આયોગ), ટ્રસ્ટના માન. ટ્રસ્ટી પ્રો.જે.ડી. પરમાર, ટ્રસ્ટી-સેકેટરી પી.કે. લહેરી તથા સલાહકાર ડો.યશોધરભાઇ ભટ્ટ તથા ભાવેશભાઇ વેકરીયા ખાસ ઉપસ્થીત રહેશે.
(તસવીર / અહેવાલ :– મહેન્દ્ર ટાંક,સોમનાથ)

Related posts

ગીર – સોમનાથ જિલ્લામાં ૭૧મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ સંપન્ન

editor

MSCB scam : Sharad Pawar said- won’t any problem if i have going to jail

aapnugujarat

માસિક શિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1