માસિક શિવરાત્રિનું સોમનાથમાં વિશેષ માહાત્મ્ય રહેલ છે, રાત્રે દિપ પુજન, મધ્યરાત્રિ મહાપુજન અને મહાઆરતી યોજાયા હતા, જેમાં રાજકોટના નિતિન ભારદ્વાજ, રાજુલાના ગૌરાંગ રાઠોડ, નરેશ વ્યાસ અમદાવાદ, ડીવાયએસપી એમ. એમ. પરમાર, ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસર દિલિપ ચાવડા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ભક્તસમુદાય આ પ્રસંગનો લ્હાવો લઇ ધન્ય બનેલ હતાં.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)