Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી : અમિત ચાવડા

જૂનાગઢની ઘટના બાદ અમદાવાદના ઓઢવમાં પોલીસનો બરબર ચહેરો સામે આવ્યો છે. ગુજરાત પોલીસ હવે પ્રજાની નહીં પરંતુ ગુડાઓની બની ગઇ છે. ગુજરાત પોલીસ જાણે પોતાને સર્વસ્વ માનીને ખાખી વર્દીનો ખોફ રાજ્યની ભોળી જનતાને બતાવી રહી છે.
પત્રકારો પર હુમલા અંગે અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અને તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. પત્રકારો પર પોલીસ લાઠીઓ વીંઝે છે તે તદ્દન અયોગ્ય છે. આ મામલે ૨૪ કલાક બાદ પણ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી એક શબ્દ પણ બોલ્યા નથી તે ખુબ જ દુખદ છે. આ મામલે પોલીસની ભૂમિકા કેમેરામાં કેદ થઇ છે છતા હજુ સુધી આરોપીઓ વિરૂદ્ધ કોઇ પગલા લેવામાં આવ્યા નથી. આ મામલે રાજ્યનાં મુખ્યમંત્રી માફી માગે અને ગુજરાતની જનતાને જવાબ આપે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પત્રકાર લોકો સુધી સમાચાર પહોંચાડતા હતા ત્યારે પોલીસે લાઠીઓ વીંઝી છે. આ મામલે મુખ્યમંત્રીએ આ બનાવ અંગે ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ અને મુખ્યમંત્રીએ પત્રકારોની બનાવ અંગે માફી માગવી જોઈએ.

Related posts

થરા – શિહોરી હાઈ-વે પર ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત

aapnugujarat

ભાવનગરમાં એકસેલન્ટ યુવક મંડળ દ્વારા વૃક્ષારોપણ

editor

उपरवास में भारी बारिश से नर्मदा बांध के ८ दरवाजे खुले

aapnugujarat

Leave a Comment

UA-96247877-1