Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માયાવતી જાહેર જીવન જીવવા લાયક નથી : અરૂણ જેટલી

બસપાના સુપ્રીમો માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વ્યક્તિગતરીતે નિવેદન કરતા કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીએ વળતો પ્રહાર કરતાં અને આ નિવેદનને વખોડતાં જણાવ્યું કે,”માયાવતી જાહેર જીવન જીવવાને લાયક નથી” જેટલીએ ટ્‌વીટ કરતા પહેલા માયાવતીએ આરોપ મૂકતાં જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની પત્નીઓ ખાસ કરીને પરણિત સ્ત્રીઓ તેમના પતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક મોકલતાં ગભરાય છે કેમકે મોદી પોતાની પત્નીની જેમ તેઓ અમને પણ અમારા પતિથી અલગ ન કરાવી દે તેવો ડર લાગે છે. જેટલીએ લખ્યું છે કે બહેન માયાવતી…વડાપ્રધાન બનવા માટે તે ઉત્સુક છે.તેમનું શાસન,તેમની નૈતિકતા,તેમની રાજનીતિ નીચલા સ્તરની છે.વડાપ્રધાન નરેદ્ર મોદી પર આજે વ્યક્તિગત હુમલો કરતાં તેમને સાબિત કરી દીધું છે કે તેઓ જાહેર જીવન જીવવા માટે સક્ષમ નથી. માયાવતીએ સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યું કે તેઓ રાજનીતિનો લાભ ઉઠાવવા માટે પોતાની પતિ અને બહેનને છોડીને આવ્યાં તો શું તેઓ પત્નીની ઈજ્જત કરી શકશે?ભાજપના નેતાઓની પત્નીઓ પોતાના પતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાસે મોકલતાં ગભરાય છે. માયાવતીએ મહિલાઓને ખાસ જણાવતાં કહ્યું કે તમે આવા માણસને ક્યારેય મત ન આપશો અને આજ તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની કે જે તેમને છોડીને ચાલી ગઈ છે તેમનું સાચું સન્માન હશે.

Related posts

देश में एक दिन में कोरोना के रिकॉर्ड 11502 नए केस

editor

महाराष्ट्र में मंदिर खोलने की मांग को लेकर शिवसेना का BJP पर निशाना

editor

લોકસભા ચૂંટણી મતપત્રથી કરાવવા માયાની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1