બીએસએફના પૂર્વ સૈનિક તેજ બહાદુરે ભાજપ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેઓ ઘરે ગયા ત્યારે ભાજપના લોકો મારા ઘરે આવ્યા હતા અને મને વારાણસી બેઠક પર ચૂંટણી ન લડવા માટે ૫૦ કરોડની ઓફર કરી હતી. મારા ઉપર ચૂંટણી ન લડવા માટે બહું જ દબાણ કરવામાં આવ્યું હતું.તેજ બહાદુરને જ્યારે મીડિયાએ રૂપિયા આપવાવાળાનું નામ પુછ્યું તો તેમણે કહ્યું કે નથી જણાવી શકતો. તેઓ બહુ જ મોટા લોકો છે તેઓ મારી હત્યા કરાવી શકે છે. બનારસથી તેમની ઉમેદવારી રદ થતા તેમણે કહ્યું કે આ વાતની આશંકા અખિલેશ યાદવને પહેલેથી જ હતી. રણનીતિના ભાગ રુપે જ પહેલા અપક્ષમાં ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ સપામાંથી ઉમેદવારી નોંધાવી હતી.મારી સાથે શાલિની યાદવે પણ ફોર્મ ભર્યું હતું કેમ કે મારી ઉમેદવારી રદ થાય તો તેઓ ચૂંટણી લડી શકે. તેજ બહાદુરે કહ્યું કે હું જાણતો હતો કે ભાજપ મારી ઉમેદવારી રદ કરવા માટે કઈ પણ કરી શકે છે. તેજ બહાદુરે મોદી ઉપર પણ મોટો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે મોદી એ જ મને નોકરીમાથી હટાવ્યો છે. મારા દિકરાની હત્યા કરવામાં આવે છે અને તેમની તપાસ પણ નથી થતી. દિકરાના મોતના સમયે જ મોદીની સામે લડવાની પ્રતિજ્ઞા લીધી હતી.