Aapnu Gujarat
તાજા સમાચારમનોરંજન

૯ કરોડ કેબલ-ડીટીએચ ગ્રાહકોએ પોતાની મનપસંદ ચેનલની કરી પસંદગી : ટ્રાઈ

ટીવી અને ચેનલો એક સિક્કાની બે બાજુઓ છે. ટીવી હોય અને કેબલ કનેક્શન ન હોય તો ગમે તેવુ ટીવી પણ કોઈ કામનું રહેતુ નથી.
આજે એટલી ચેનલોની ભરમાર છે કે ગ્રાહકોને કઈ ચેનલ જોવી તે નક્કી કરવાનું હાલ ટ્રાઈએ ગ્રાહકોના હાથમાં આપી દીધુ છે, નવી યોજના પ્રમાણે હવે ગ્રાહકો એજ ચેનલના પૈસા આપશે જે તેને જોવાની હશે તેની પસંદગીની હશે. ટ્રાઈએ માહિતી આપતા જણાવ્યુ છે કે ૧૭ કરોડમાંથી ૯ કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહકોએ પોતાની મનપસંદ ચેનલ પસંદ કરીને નવી વ્યવસ્થાને અપનાવી છે. ગ્રાહકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ હેતુસર ટ્રાઈ સતત નજર નાખી રહ્યુ છે. ટ્રાઈના ચેરમેન આર. એસ. શર્માએ જણાવ્યુ કે અમારા આંકડાઓ અનુસાર નવી વ્યવસ્થાથી ગ્રાહકોને ફાયદો થશે. આશા છે કે બાકી રહેલા ગ્રાહકો પણ ટુંક સમયમાં પોતાની મનપસંદ ચેનલ પસંદ કરી લેશે.
શર્માએ જણાવ્યુ કે ૯ કરોડ ગ્રાહકોએ નવી વ્યવસ્થા અનુસાર પોતાની પસંદગીની ચેનલો પસંદ કરી લીધી છે.
કુલ ૧૭ કરોડ ટીવી ચેનલ ગ્રાહકોમાંથી ૯ કરોડે ઓપરેટરને પાતાની પસંદની ચેનલો નોંધાવી લીધી છે. આ ખુબજ મોટી સંખ્યા છે. કુલ ૧૭ કરોડ ગ્રાહકોમાં ૧૦ કરોડ કેબલ ગ્રાહક છે.
ટ્રાઈના ચેરમેન ડીટીએચ એક પ્રી-પેડ મોડલ છે. આ માટે ગ્રાહકો લાંબી અને નાની અવધી માટે પેક સમાપ્ત થતા પોતાની ચેનલની પસંદગી કરી શકશે.

Related posts

પીએનબી કૌભાંડઃ નીરવ મોદી વિરૂદ્ધ ઈડીએ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી

aapnugujarat

અમરનાથ યાત્રા ફરી શરૂ : ૧૩૭ શ્રદ્ધાળુ રવાના

aapnugujarat

કોંગ્રેસ નેતા શકીલ અહમદને ફટકો, પાર્ટીએ દેખાડી દીધો બહારનો રસ્તો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1