Aapnu Gujarat
Uncategorized

વેરાવળમાં બે જોડીયા ભાઈઓનો આપઘાત

ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ભાલકા તીર્થ નજીક આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના બેમાળીયા કવાટરમાં રહેતા મુસ્લિમ પરિવારના બે સગાભાઇઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધું તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામનારા બંન્ને યુવકો સગા ભાઇઓ હતા અને જુડવા હતા. જેઓ ગત રાત્રીના બંન્ને એકલા રુમમાં સુતા હતા જે સવારે મોડે સુધીના ઉઠતા પરિવારજનોએ બારણું ખખડાવ્યું હતું પણ દરવાજો બંઘ હતો અને લાંબો સમય ખખડાવવા છતાં ન ખોલતા બારીમાંથી જોતાં બંન્ને ભાઇઓ પેકી એક પંખાના સાથે દોરડા વડે ગળેફાસો ખાઘેલી હાલતમાં જોવા મળ્યો હતી

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

વઢવાણ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય

editor

સોમનાથ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્લાન્ટનું નિર્માણ

editor

પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં પુત્ર સમિપ અને તેમનાં પત્નીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1