ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ભાલકા તીર્થ નજીક આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના બેમાળીયા કવાટરમાં રહેતા મુસ્લિમ પરિવારના બે સગાભાઇઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધું તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામનારા બંન્ને યુવકો સગા ભાઇઓ હતા અને જુડવા હતા. જેઓ ગત રાત્રીના બંન્ને એકલા રુમમાં સુતા હતા જે સવારે મોડે સુધીના ઉઠતા પરિવારજનોએ બારણું ખખડાવ્યું હતું પણ દરવાજો બંઘ હતો અને લાંબો સમય ખખડાવવા છતાં ન ખોલતા બારીમાંથી જોતાં બંન્ને ભાઇઓ પેકી એક પંખાના સાથે દોરડા વડે ગળેફાસો ખાઘેલી હાલતમાં જોવા મળ્યો હતી
તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ