Aapnu Gujarat
ગુજરાત

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે દિલ્હી ખાતે શ્રી અરૂણ જેટલી દ્વારા બોલાવાયેલી બેઠકમાં ભાગ લીધો

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આજરોજ દિલ્હી ખાતે કેન્દ્રીય નાણાંમંત્રી શ્રી અરૂણ જેટલીએ બોલાવેલી બેઠકમાં આગામી કેન્દ્રીય બજેટ માટે ગુજરાતને રજૂઆતો કરી હતી. શ્રી અરૂણ જેટલીએ દિલ્હી ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, આસામના મુખ્યમંત્રી, બિહારના નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રીની એક બેઠક બોલાવી હતી, જેમાં આગામી કેન્દ્રીય બજેટ અંગે તેમજ જી.એસ.ટી. બાબત ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં જી.એસ.ટી.ની અમલવારી સારી રીતે થઇ રહી છે, રાજ્યની આવક જળવાઇ રહે અને કોઇ વેપારીને કનડગત ન થાય તે માટે ઇ-વે બીલનો તબક્કાવાર અમલ કરવામાં આવશે.

Related posts

લાડોલ હરસિદ્ધ માતાના ચરણોમાં બે કરોડ મંત્ર જાપ કરાયા

editor

સુરતનાં ૧૬ થિયેટરોમાં પદ્માવત નહીં બતાવાય

aapnugujarat

ગુજરાતના રમખાણોના કેસમાં તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1