Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧ ડિસેમ્બરથી ઓટીપી દ્વારા આધાર કાર્ડ લિંક કરી શકાશે

હવે એરટેલ, જિયો, વોડાફોન અને આઈડિયા જેવા મોટા ટેલિકોમ ઓપરેટર્સ ઓટીપી દ્વારા આધાર-સિમકાર્ડને લિંક કરશે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નવા માધ્યમને સ્વિકૃતિ આપી દેવાતા હવે યુઝર્સ ઘરેબેઠા જ પોતાના સિમકાર્ડને આધાર સાથે સરળતાથી લિંક કરી શકે. નોંધનીય છે કે આધાર-સિમકાર્ડ લિંકિંગની ડેડલાઈન ૬ ફેબ્રુઆરી, ૨૦૧૮ છે.
જ્યારે ઓટીપી વેરિફિકેશન ૧ ડિસેમ્બરથી શરુ થશે.ગયા મહિને સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓને પોતાના યુઝર્સનું ફરીવાર વેરિફિકેશન કરાવડાવવા માટે ૩ નવી રીતોની જાહેરાત કરી છે. આ નવી રીતો અનુસાર સિમકાર્ડ-આધાર લિંક કરવા માટે ઓટીપી, એપ અને આઇવીઆરએસનો ઉપયોગ કરી શકાશે. જેથી આ પ્રક્રિયા વધુ સરળ બની શકશે. જો કે ગ્રાહકો સર્વિસ પ્રોવાઈડર્સના સ્ટોર પર જઈને પણ આધાર-સિમકાર્ડ લિંકિંગ કરી શકશે.
તેમજ સરકારે કંપનીઓને દિવ્યાંગ, ગંભીરપણે બીમાર અને સિનિયર સિટિઝન્સ માટે આ સુવિધા ઘરઆંગણા સુધી લઈ જવાની પણ સૂચના આપવામાં આવી છે.
યુએઆઇડીઆઇના સીઇઓએ જણાવ્યું હતું કે, ‘મોબાઈલ નંબરના ઓટીપી બેઝ્‌ડ વેરિફિકેશનની પ્રક્રિયા આ મહિનાના અંત સુધીમાં થઈ જશે તેવી કંપનીઓએ બાંહેધરી આપી છે. જેથી નક્કી સમયમર્યાદાની અંદર જ આ પ્રક્રિયા પુરી કરી દેવામાં આવશે. તેમજ મોબાઈલ ફોન નંબરનો મિસયુઝ ઘટાડી શકાશે.’ પહેલા તમારે એવું સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થયેલો છે.
ત્યાર બાદ જ તમે ઓટીપી લિંકિંગ પ્રોસેસ શરુ કરી શકશો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરવાળા ગ્રાહકોને યુએઆઇડીઆઇ દ્વારા તેમના મોબાઈલ પર ઓટીપી મોકલવામાં આવશે. જો તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક ન હોય તો તમારે સર્વિસ પ્રોવાઈડરના સ્ટોર પર જઈને વેરિફિકેશન કરાવવાનું રહેશે. સમાંતરપણે તમે તમારા મોબાઈલ નંબર અંગેની ડિટેઈલ્સ પણ ચેન્જ કરી શકો છો.

Related posts

સાંસદોના પગારમાં વધારો કરાશે : ટૂંકમાં નવી પોલિસી

aapnugujarat

जवाबदेह और जिम्मेदार शासन हमारा लक्ष्य : कमलनाथ

aapnugujarat

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર એક મહિનામાં ૨૫ લાખ ખેડૂતોનું દેવુ માફ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1