Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા. ૧૩ નાં રોજ કાજલી ખાતે યોજાશે

ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા. ૧૩/૧૦/૧૭ ના રોજ સવારે ૯.૩૦ કલાકે ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ, કાજલી ખાતે યોજાશે. પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી જશાભાઈ બારડ અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક તથા સાધન સહાયનું વિતરણ કરવામાં આવશે.

છેવાડાના માનવી સુધી ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને હાથોહાથ મળી રહે તે માટે જિલ્લાકક્ષાના આયોજીત ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાભરના લાભાર્થીઓને એકી સાથે એક જ સ્થળ પર થી સાધન સહાય વિતરણ કરાશે.

આ પ્રસંગે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, ચુનીભાઈ ગોહેલ, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મણીબેન રાઠોડ, અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના ઉપાધ્યક્ષશ્રી ટી.એમ.પટેલ, પ્રવાસન નિગમના ડિરેકટરશ્રી ઝવેરીભાઈ ઠકરાર, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

Related posts

ભાવનગર નગરપાલિકાની ટીમે ખાણી પીણી બજારોમાં દુકાનો સીલ કરી

editor

અમદાવાદ સિવિલમાં ૫૭ હેલ્થ વર્કર સંક્રમિત

editor

પાટીદારના નેતા નીલેશ એરવડિયા સામેના કેસને પાછો ખેંચાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1