Aapnu Gujarat
ગુજરાત

BAPS ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ મુલાકાત લીધી

સુરેશ ત્રિવેદી, ભાવનગર

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભાવનગર ખાતેના કાર્યક્રમો પૂર્ણ થયે સંધ્યાકાળે વાઘાવાડી રોડ ખાતે આવેલ બી.એ.પી.એસ. મંદિર ખાતે દર્શન કરી પૂજા- અર્ચના કરી હતી. 
મુખ્યમંત્રીશ્રીએ મંદિરમાં નીલકંઠવર્ણીએ જળાભિષેક કરી મંદિર ખાતેના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. 
મંદિર પરિસર ખાતે સોમપ્રકાશ સ્વામી, અધ્યાત્મસ્વરૂપ સ્વામી, યોગવિજય સ્વામી, ત્યાગરાજસ્વામી પણ મુખ્યમંત્રીશ્રી સાથે રહ્યાં હતાં. 
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત સમયે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી આર.સી. મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મુકેશ લંગાળિયા, શહેર ભા.જ.પ. પ્રમુખશ્રી રાજીવ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 

Related posts

દિગ્ગજ આગેવાનો ભાજપનો વિકલ્પ ન બની શક્યા, દિલ્હીથી આવેલા કેવી રીતે બની શકે ? : મોઢવાડિયા

editor

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય, શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન તેમજ જનસહાયક ટ્રસ્ટ હીરામણી આરોગ્ય ધામનું ભૂમિપૂજન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું

aapnugujarat

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ વિસ્તારક યોજના અંતર્ગત કડી તાલુકાનાં ગામડાંનો પ્રવાસ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1