Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં નર્સેનો આપઘાત

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગરની સર ટી . હોસ્પિટલના સાતમા માળે ફરજ બજાવતી નર્સે કોઈ કારણોસર હોસ્પિટલના સ્ટોર રૂમમાં જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે . બનાવના પગલે ચકચાર મચી ગઇ છે . 
પ્રાપ્ત થઈ રહેલી માહિતી મુજબ ભાવનગરની સરકારી સર.ટી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના સાતમા માળે નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી અમી મકવાણા નામની 22 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી લીધી છે . તેણીએ સ્ટોર રૂમમાં દોરડાં વડે ગળાફાંસો લગાવી મોત વ્હાલું કર્યું છે .  બનાવને લઇ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે , અને આત્મહત્યા અંગેની વધુ તપાસ હાથ ધરી છે . આત્મહત્યા કરનાર યુવતી શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી હોવાનું અને હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે . પ્રાપ્ત થતી વિગતો મુજબ આપઘાત કરનાર યુવતીની બેગમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેને પોલીસે કબજે લીધી છે. તેણીએ સુસાઇડ નોટમાં લખ્યું છે તે મારે લગ્ન નથી કરવા માટે આ પગલું ભરૂ છું .લવ યુ મમ્મી… લવ યુ પપ્પા … આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Related posts

જૂનાગઢમાં આધેડ મહિલાની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

aapnugujarat

બેટી બચાવોની વાત વચ્ચે બેટી જ સલામત નથીઃ કોંગ્રેસ

aapnugujarat

રાજ્યમાં ૨૨ ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1