Aapnu Gujarat
ગુજરાત

ઇકબાલગઢ ખાતે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત “ટેલી-લૉ” જાગૃતિ કેમ્પ યોજાયો

જીતેન્દ્રકુમાર અગ્રવાલ, ઇકબાલગઢ

આ સંદર્ભે કોમન સર્વિસ સેન્ટર(CSC) દ્વારા ચલાવવામાં આવતા ટેલી-લૉ પ્રોજેકટ અંતર્ગત લાભાર્થી ને ટેલિફોન ના માધ્યમ થી વિડિયો કોન્ફરન્સ અથવા વોઇસ કોલ ની મદદ થી મફત/નજીવી કિંમતે કાનૂની માર્ગદર્શન બાબતે અવેરનેસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં નાગરિકોને પોતાના બંધારણીય હક્કો ફરજો તેમજ કાયદા માં પ્રસ્થાપિત પ્રી-લીટીગેશન માહિતી ની જાણકારી કાયદા ના નિષ્ણાંતો મારફતે આપવામાં આવી હતી. જેમાં ટેલી-લૉ સુવિધા ના ઊપયોગ થકી દરેક વ્યક્તિ નજીકના સીએસસી સેન્ટર પહોંચી રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને પોતાની સમસ્યા નું સમાધાન આ ટેલી-લૉ ના માધ્યમથી મેળવી શકે છે.
આ પ્રસંગે જિલ્લા મેનેજર વિનોદ રાણાવસિયા વી એલ ઈ યોગેશ ઠાકોર,વિજય પંચાલ,જીતેન્દ્ર અગ્રવાલ તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં

Related posts

જસદણ ચુંટણી : ભાજપમાંથી બાવળિયા દ્વારા ભરાયેલું ફોર્મ

aapnugujarat

પ્રજાના પૈસા પાણીમાં નાખતું નીંભર તંત્ર

editor

ફેસબુક પર મોગલ માંઇ અંગે અભદ્ર ટિપ્પણીને લઇ ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1