Aapnu Gujarat
National

કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાનું રાજીનામું

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ CM પદ પરથી રાજીનામુ આપ્યું છે.હવે જોવાનું રહ્યું કે, રાજ્યના સીએમની કમાન કોને સોપવામાં આવે છે. રાજ્યમાં આજે જ ભાજપની સરકારને બે વર્ષ પુરા થયા છે.જેના યોજાયેલ કાર્યક્રમમાં યેદિયુરપ્પાએ રાજીનામાની જાહેરાત કરી હતી.તેમણે ગવર્નરને રાજીનામુ સોપ્યું હતું. સંસદભવનમાં બેઠક યોજવામાં આવી છે.જેમાં નવા ચહેરાને લઈને ચર્ચા કરવામાં આવશે. રાજીનામાં પછી યેદિયુરપ્પાએ કહ્યું કે તેમની પર હાઈ કમાન્ડનું કોઈ પ્રેશર નથી.પોતે જ રાજીનામુ આપ્યું છે.પાર્ટીને મજબૂત કરવાનુ કામ કરીશ. તક આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ તેમણે આભાર માન્યો હતો.

Related posts

મહારાષ્ટ્રમાં હાઇ લેવલ ટ્રાન્સફર-પોસ્ટિંગનું રેકેટ,મારી પાસે પુરાવા : ફડણવીસ

editor

ઉત્તરાખંડને નવા મુખ્યમંત્રી મળ્યા

editor

ભાસ્કર ગ્રુપ પર આવકવેરા વિભાગની મોટી તવાઈ

editor

Leave a Comment

UA-96247877-1