Aapnu Gujarat
National

મહારાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા

મહારાષ્ટ્રમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના રત્નાગિરિ અને રાયગ  જિલ્લામાં પૂરની પરિસ્થિતિની સમીક્ષા લેવા એક કટોકટી બેઠક યોજી હતી, જે છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે આ બેઠક યોજવામાં આવી હતી. ઠાકરેએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકમો અને સંબંધિત વિભાગોને પણ જાગૃત રહેવા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી.વધારે ભરતી અને ભારે વરસાદને કારણે ગંભીર પરિસ્થિતિઓથી નિવારવા રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની બે ટીમો રત્નાગીરીના ઘેડ અને ચિપલૂન વિસ્તારમાં દોડી આવી હતી.  રત્નાગીરીમાં ઘેડ અને રાયગમાં મહાડ માટે, પુણેના મુખ્ય મથકથી, બચાવ કામગીરી માટે વધુ બે ટીમો એકત્રીત કરવામાં આવી છે. રાષ્ટ્રીય આગાહી એજન્સી ઇન્ડિયા હવામાન વિભાગ (આઈએમડી) એ રાજ્યના કેટલાક પ્રદેશો માટે લાલ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.જે આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ભારે વરસાદ અને પૂરને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં સર્જાયેલી પરિસ્થિતિને ઘટાડવા માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી.  વડા પ્રધાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી અને રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.  એક ટવીટમાં વડા પ્રધાને કહ્યું હતું કે, “મહારાષ્ટ્રના સીએમ શ્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી અને ભારે વરસાદ અને પૂરના પગલે મહારાષ્ટ્રના કેટલાક ભાગોની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પરિસ્થિતિને ઘટાડવા માટે કેન્દ્ર તરફથી તમામ શક્ય સમર્થન આપવાની ખાતરી આપી હતી. દરેકની સલામતી માટે પ્રાર્થના  અને સુખાકારી

Related posts

વાહન હંકારવાના મામલે જોખમી દેશોમાં ભારત ૪થા સ્થાને

editor

મમતાએ બંગાળના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા

editor

IAFની મદદથી અફઘાન હિંદુ અને શીખોને એર લિફ્ટ કરાશે

editor

Leave a Comment

UA-96247877-1