Aapnu Gujarat
ટેકનોલોજી

ટિ્‌વટરે કાયદાને માનવો જ પડશે : નવા આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તાર પછી જે મંત્રીઓને નવી જવાબદારી મળી છે તેમણે પોતાનો કાર્યભાર સંભાળવાનો શરુ કરી દીધો છે. દેશના નવા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કામકાજ સંભાળતા જ ટિ્‌વટરને આકરો સંદેશ પાઠવ્યો છે.
ટિ્‌વટરની મનમાની અને નવા આઇટી નિયમોનું પાલન ન કરવાને લઈને અશ્વિની વૈષ્ણવે ચેતવણી આપતા જણાવ્યું હતું કે દેશનો કાયદો સર્વોચ્ચ છે, બધાએ તેને માનવો પડશે. ટિ્‌વટરે પણ નિયમોનું પાલન કરવું પડશે. ટિ્‌વટર પર ભારત સરકારની ચેતવણીઓની કોઈ અસર નથી. ફરિયાદ અધિકારીની નિમણૂકને લઈને ટિ્‌વટર તારીખ પર તારીખ આપી રહ્યું છે, પરંતુ નિમણૂક કરી રહ્યું નથી. જાે કે દિલ્હી હાઇકોર્ટમાં તેણે નવા ફરિયાદ અધિકારીની નિમણૂક કરવાની ખાતરી આપી છે.
નવા આઇટી કાયદા લાગુ થયા પછી અમેરિકાની માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્‌વટરે નિયમ મુજબ ફરિયાદ અધિકારીની નિમણૂક કરી હતી, પરંતુ ગયા મહિને જ ૨૭મી જુને વચગાળાના ફરિયાદ અધિકારી ધર્મેન્દ્ર ચતુરે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. તેના પછી ટિ્‌વટરને નવા ફરિયાદ અધિકારીની તલાશ છે.

Related posts

પેટીમ યુઝર્સ સાવધાન…!!

aapnugujarat

टि्वटर पर ट्रेंड हो रहा #BoycottPatanjali

editor

देश में व्हाट्सएप के माध्यम से रकम भेजने पर नहीं लगेगा शुल्क : जुकरबर्ग

editor

Leave a Comment

UA-96247877-1