Aapnu Gujarat
ગુજરાત

ગીર-સોમનાથ વાવાઝોડામાં અસરગ્રસ્ત ગામોમાં વીજપુરવઠો પુર્વવત

ગીર-સોમનાથથી અમારા સંવાદદાતા માલદે ગોહેલ જણાવે છે કે, ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી ઉના, ગીરગઢડા તાલકા વધુ અસરગ્રસ્ત થયા હતા. જે અંતર્ગત ઉર્જામંત્રીશ્રી સૈારભભાઇ પટેલે ઉના ૨૨૦ કે.વી.ની મુલાકાત લઇ જેટકો તેમજ પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી અસરગ્રસ્ત તાલુકામાં વિજળી પુર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત આજથી અસરગ્રસ્ત કોડીનાર, ગીરગઢડા, ઉના તાલુકાના ગામડાઓમાં જ્યોતિગ્રામ ફીડર ચાલુ કરી દરેક ગામડાઓને વીજળી પુર્વવત કરવામાં આવી છે. આ અસરગ્રસ્ત તાલુકામાં ૨૦ સબસ્ટેશનો દ્વારા વીજપુરવઠો પુર્વવત કરવામાં આવ્યો છે અને ૧૧૦૦૦ વીજળી પોલ, ૬૦૦ ટીસી રીસ્ટોર કરવામાં આવ્યા છે. ૧૧૫ કોન્ટ્રાકટરોની ટીમ અને ૩૯ પીજીવીસીએલ ટીમના ૧૨૦૦ થી વધુ અધિકારી/કર્મચારીઓએ યુધ્ધના ધોરણે રાત-દીવસ કામગીરી કરી વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ તમામ ગામોમાં આજથી વીજળી પુર્વવત કરવામાં આવી છે. તેમ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરશ્રી વાય.આર.જાડેજાની યાદીમાં જણાવાયું છે.

Related posts

एचएसआरपी नंबर प्लेट नहीं हुआ तो १००० तक जुर्माना

aapnugujarat

મુખ્યમંત્રીશ્રીને GNFC-ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમીટેડનો રૂા. ૩ર કરોડ ડિવીડન્ડ ચેક અર્પણ

aapnugujarat

વટામણ ચોકડી પાસે પોલીસ બાતમીદારની હત્યાના કેસમાં એક શખ્સને આજીવન કારાવાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1