Aapnu Gujarat
રાષ્ટ્રીય

આસામમાં ૬ ઉગ્રવાદી ઠાર

આસામ રાઇફલ્સ અને આસામ પોલીસે રવિવારે સંયુક્ત ઓપરેશન ચલાવીને દિમાસા નેશનલ લિબરેશન આર્મીના ૬ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. અથડામણ નાગાલેન્ડ સરહદની પશ્ચિમમાં આવેલા કાર્બી આંગલોંગ જિલ્લામાં સર્જાયું હતું. સેનાને અહીં ડીએનએલએના ઉગ્રવાદીઓ છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ઉગ્રવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ૬ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા ઉગ્રવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં દારૂગોળો અને ૪ એકે-૪૭ મળી આવી છે. સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ ઓપરેશન પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાના એડિશનલ સુપ્રિટેન્ડેંન્ટ ઓફ પોલીસ પ્રકાશ સોનોવાલની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. દિમાસા નેશનલ લિબરેશન આર્મીની સ્થાપના ઉગ્રવાદીઓએ ૨ વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ સંગઠન દિમાસા આદિવાસીઓ માટે એક સ્વતંત્ર દેશ બનાવવા માંગે છે. સંગઠનના પ્રમુખનું નામ નાઈસોદાઓ દિમાસા અને સચિવનું નામ ખારમિનદાઓ દિમાસા છે. આ ઉગ્રવાદી સંગઠન આસામના ડીમા હસાઓ અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં સક્રિય છે. આ પહેલા ૧૯ મેના રોજ ડીએનએલએના ઉગ્રવાદીઓએ ધનસિરી વિસ્તારમાં એક યુવકની હત્યા કરી હતી. આ ઘટના બાદથી સુરક્ષા દળોની ટીમ સતત આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

Related posts

CBI raids on 14 locations linked to Congress K’taka prez DK Shivakumar

editor

आज तक पीएम ऐसे नहीं हुए जिस प्रकार मोदीजी ने व्यवहार किया है : अशोक गहलोत

aapnugujarat

દિલ્હી સહિત ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં લપેટાયું, કાશ્મીરમાં દટાયેલા જવાનોના મૃતદેહ મળ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1