ભારતીય સ્ટેટ બેન્કે વધુ એક વખત પોતાની એસોસિએટ્સ બેન્કોનાં ગ્રાહકોને યાદ આપાવ્યું છે કે, તેમને આ બેન્કોની ચેક બુક ૩૧ માર્ચ સુધીમાં બદલી લેવાની રહેશે. એસબીઆઇ એ કહ્યું છે કે, ૩૧ માર્ચ સુધીમાં એસોસિએટ્સ બેન્કોનાં ગ્રાહકો નવી ચેકબૂક હાંસલ કરી લે. ખરેખર ગત વર્ષે ૫ એસોસિએટ્સ બેન્કોનું એસબીઆઇમાં મર્જ કરવામાં આવી હતી. એપ્રિલ ૨૦૧૭ સ્ટેટ બન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હેદરાબાદ , સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર , સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા , સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેન્કને એસબીઆઇમાં મર્જ કરવામાં આવી હતી.જો તમારુ એકાઉન્ટ આ બેન્કમાં હોય તો તમારે ૩૧ માર્ચ સુધીમાં તમારે એસબીઆઇની નવી ચેક બુક લેવી જરૂરી છે. તમને જણાવી દઇએ કે, આ કામની તારીખ બેન્ક ત્રણવાર વધારી ચૂકી છે.સૌથી પહેલા એસબીઆઇ એ ૩૦ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો. બાદમાં આ સમય સીમાને વધારીને ૩૧ ડિસેમ્બર કરી દેવામાં આવી હતી. જોકે, જોકે, ગ્રાહકોની મુશ્કેલીને જોતા હવે તેને ૩૧ માર્ચ કરી દેવામાં આવી છે. હવે જો તેમે ૩૧ માર્ચ પહેલા પણ નવી ચેક બુક નથી લેતા તો નાણાકીય લેનદેન કરવું મુશ્કેલ બની જશે.
પાછલી પોસ્ટ