Aapnu Gujarat
મનોરંજન

દીપિકા અને રણવીર બેંગ્લોર રવાના

સૂત્રો મુજબ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલ બેંગ્લુરુમાં પાદુકોણના પરિવાર સાથે રહેવા અને મહારાષ્ટ્રમાં કર્ફ્યુ અને વધતા કોરોના સંક્રમણને રોકવા માટે બોમ્બેથી રવાના થઈ રહ્યા છે અને થોડા દિવસ તેઓ ત્યાં જ રહેશે. હાલમાં ફિલ્મોના શુટિંગ બંધ હોવાના કારણે આ કપલે પરિવાર સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું છે.સૂત્રએ જણાવ્યું હતું કે શૂટિંગ પ્રતિબંધ, શિડ્યુલ રદ અને લોકડાઉનથી તેઓ મુંબઈથી અચાનક બહાર જઈ રહ્યા છે. હાલમાં બેંગલોર પણ કર્ફ્યુ હેઠળ છે, પણ મહારાષ્ટ્ર કરતા વધુ હળવો કર્ફ્યુ છે. ૧૦ મી એપ્રિલથી શરૂ કરીને, બેંગલુરુ સહિત કર્ણાટકના સાત જિલ્લા કેન્દ્રોને ૨૦ એપ્રિલ સુધી સવારે ૧૦ થી ૫ વાગ્યાની વચ્ચે નાઈટ કર્ફ્યુ હેઠળ રાખવામાં આવ્યા છે.મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર રાજ્યમાં ૧૫ દિવસની જનતા કર્ફ્યુની જાહેરાત કરી છે. સરકારે કડક માર્ગદર્શિકા અને પ્રોટોકોલ જારી કર્યા છે જેનું પાલન તમામ નાગરિકો, અભિનેતાઓ, ફિલ્મ નિર્માતાઓ, ઉદ્યોગપતિઓ, સંપત્તિ માલિકો અને પરિવહન વ્યવસાયો દ્વારા પણ કરવો પડશે.

Related posts

એમ્મા વોટ્‌સન અને વિલિયમ નાઇટ વચ્ચેના સંબંધ તુટ્યા : રિપોર્ટ

aapnugujarat

નેગેટિવ વાતથી તેને કોઇ અસર થતી નથી : બોબી

aapnugujarat

SSR Case बोले पवार : CBI जांच का विरोध नहीं, मगर मुंबई पुलिस पर पूरा भरोसा

editor

Leave a Comment

UA-96247877-1