ઇસ્લામિક ધર્મગુરૂ જાકિર નાઇકનો પાસપોર્ચ રદ્દ કરવામાં આવ્યો છે. જાકિર નાઇનેક એનઆઇએ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું
હતું. તેમને સમન્સ મોકલવા છતાં તેઓ હાજર ન થતાં તેમનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો છે.મીડિયા રિપોટ્ર્સ અનુસાર, ક્ષેત્રિય પાસપોર્ટ કાર્યાલયે જાકિર નાઇકનો પાસપોર્ટ રદ્દ કરવાનો આદેશ જારી કર્યો છે. આ પહેલા જાકિર નાઇકને તેમનો પાસપોર્ટ રદ્દ કરવાના સંબંધમાં પાસપોર્ટ ઓર્થોરિટીએ કારણ બતાવો નોટિસ જારી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, એનઆઇએ દ્વારા જાકિર નાઇક સામે આતંક અને મની લોન્ડ્રિંગ મામલાની તપાસ ચાલી રહી છે.
જાકિર નાઇક ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનના સંસ્થાપક છે. તેમના પર ઇસ્લામના પ્રચારની આડમાં લોકોને ધર્મ પરિવર્તન અને તેમની ભાવનાઓને ભડકાવવા તેમજ આતંકી ગતિવિધિમાં લોકોને પ્રેરિત કરવાનો આરોપ છે.
પાછલી પોસ્ટ