Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ફાની વાવાઝોડુ : ઑડિશામાં મૃત્યુઆંક ૪૧ થયો

ઓડિશામાં તાજેતરમાં આવેલા વાવાઝોડાનો મરણાંક વધીને બુધવારે ૪૧ થયો હતો. પુરીમાં વાવાઝોડાને લીધે ઘાયલ થયેલા વધુ ચાર જણ માર્યા ગયા હતા. રાજ્યમાં વીજળી પુરવઠો ફરી નિયમિત બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.વીજળી પુરવઠાના અભાવે ઘણી જગ્યાએ પાણીના પમ્પ માટે ડીઝલનાં જનરેટરો વાપરવા પડે છે.વાવાઝોડાને લીધે ૪૦૦ કિલોવૉટના પાંચ ટાવર, ૨૨૦ કિલોવૉટના ૨૭ ટાવર, ૧૩૦ કિલોવૉટના ૨૧ ટાવર, ૨૨૦ કિલોવૉટની ચાર ગ્રિડ અને ૧૩૨ કિલોવૉટની ચાર ગ્રિડને નુકસાન થયું હતું.વાવાઝોડાને કારણે વીજળીના ૧.૫૬ લાખ થાંભલા ઉખડી ગયા હતા. રાજ્યમાં અનેક સ્થળે ભેજનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે.સરકાર દ્વારા ભુવનેશ્ર્‌વર, પુરી અને અન્ય નગરોમાં રાહત કામગીરી ચલાવાઇ રહી છે તેમ જ ખાસ આરોગ્યસેવા પૂરી પાડવામાં આવી રહી છે.

Related posts

महाराष्ट्र से देश में परिवर्तन की शुरुआत हुई है : संजय राउत

aapnugujarat

भारत पर प्रदूषित हवा का बड़ा खतरा : रिपोर्ट

aapnugujarat

આવતીકાલે કોલકત્તા નાઇટ અને રાજસ્થાનની વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ રમાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1