બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે, બોટાદમાં એજન્સીઓ દ્વારા બે કર્મચારીએ ચાર માસનો બાકી પગાર માંગતા તેમને નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા હતા.રાણપુર અને ભદ્રવાડી આરોગ્ય કેન્દ્રો ના બે કોરોના વોરીયર્સને છુટા કરાયા હતા.ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા ભૂખ હડતાળનું આયોજન કરવામાં આવ્યું હતું.બોટાદ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ દ્વારા જવાબદારીઓમાંથી હાથ ખંખેરતા પરમિશન વગર ભૂખ હડતાળ કરવામાં આવી હતી.૫૦ જેટલાં કર્મચારીઓની અટકાયત કરવામાં આવી રહ્યા હતા.એજન્સીઓ અને અધિકારીઓ દ્વારા કોરોના વોરીયર્સનું શોષણ કરવામાં આવી રહ્યું છે.ન્યાય આપવાની જગ્યાએ કોરોના વોરીયર્સને પોલીસને હવાલે કરી રહ્યા છે. સરકાર પર આક્ષેપો છે કે, કોરોના કાળમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને હેરાન કરી હડતાળ ઉપર જવા ઉશ્કેરી રહી છે
પાછલી પોસ્ટ