અમદાવાદથી અમારા સંવાદદાતા કીર્તિભાઈ દવે જણાવે છે કે,શ્રી સોમનાથ બ્રહ્મકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂદેવો ની બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ ગાંધીનગર ક્રિકેટ અકેડમી ના ગ્રાઉન્ડમા યોજવામા આવી હતી.તેમા કુલ ૮ ટીમો ના ૮૮ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમા ફાયનલ મેચ -આર. બી સેવાદલ ની ટીમ અને આનંદ પ્રકાશ ટીમ વચ્ચે રમવામાં આવેલ હતી. તેમા આનંદ પ્રકાશ ટીમ વિજેતા બની હતી. આ સંસ્થા તરફ થી બધી જ ટીમો ના ખેલાડીઓ ને પ્રમાણપત્ર ,ટ્રોફી,અને ડો. યજ્ઞેશ ત્રિવેદી તરફ થી ગીફટવાઉચર આપવામાઆવ્યું હતું. મુખ્ય સ્પોન્સર વિજયસિંહ ના હસ્તે વિજેતા ને ટ્રોફી અને રોકડ ઈનામ આપવામા આવ્યું હતું.
આ કાર્યક્રમ મા ગાંધીનગર ના મેયર, ડે.મેયર, સ્ટેંડીંગ કમીટી ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ, ગુજરાત મીડીયા પ્રભારી, બ્રહ્મસમાજ ના પ્રમુખ, મહામંત્રી, કેાર્પોરેટરેા,ઉપસરપંચ,ગુરુજનો, કથાકારો, કર્મકાંડી વિદ્વાનો, જયોતિષીઓ, અગ્રણી બિલ્ડરો,પત્રકારો વગેરે અનેક મહાનુભાવો એ ઉપસ્થિત રહી ને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.