દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે તો નથી પરંતુ તેમની યાદો ફેન્સના દિલોમાં જીવીત છે. સુશાંતના ગયા બાદ તેની એક્સ ગર્લફ્રેંડ અંકિતા લોખંડે સુશાંતના પરિવાર સાથે મજબૂતી સાથે ઉભી રહી હતી. સુશાંત અને અંકિતા લાંબા સમયથી રિલેશનમાં રહ્યા હતા. તેઓ લગ્ન કરવાનું પણ પ્લાનિંગ કરી ચૂક્યા હતા. જોકે તેમનો સંબંધ આગળ વધી શક્યો નહી અને બંન્ને અલગ થઇ ગયા.
સુશાંતના ગયા બાદ અંકિતા લોખંડેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો. ખરેખર ગત કેટલાક દિવસોથી અંકિતા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. તે પોતાની હેપ્પી લાઇફની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સુશાંતનો પ્રશંસકોનો એક ભાગ આ વાતથી જ નારાજ છે કે, અંકિતા આટલી સરળતાથી મૂવઓન કેવી રીતે કરી શકે. સાથે જ આરોપ પણ મૂક્વામાં આવી રહ્યો છે કે અંકિતાએ સુશાંતથી છેડો ફાડ્યો હતો. હવે એક્ટ્રેસે આ અંગે જવાબ આપ્યો છે.
અંકિતાએ પોતાના અને સુશાંતના બ્રેકઅપ અંગે કહ્યું,‘તે સમયે હું મારા સંબંધને બચાવવા માટે ગણુ બધુ કરી રહી હતી. કારણ કે હું એવી નથી કે મારા અંગત રિલેશનશિપને બહાર લાવીને તમાશો કરૂં.’ અંકિતાએ કહ્યું,‘હું કોઇને બ્લેમ નથી કરી રહી. સુશાંતની પસંદગી ખુબ જ ક્લિયર હતી. તે પોતાના કરિયરમાં આગળ વધવા માંગતો હતો. સુશાંતે પોતાના કરિયરની પસંદગી કરી અને આગળ વધી ગયો.’
‘પરંતુ ૨.૫ વર્ષમાં મેં ગણી વસ્તુઓ સાથે ડીલ કરી. હું તે સ્ટેટ ઓફ માઇન્ડમાં ન હતી કે તરત જ કામ પર જઇ શકું. પરંતુ મારા પરિવારે મને સપોર્ટ કર્યો. મારી જિંદગી ખતમ થઇ ગઇ, મને ખબર ન હતી કે તેના પછી શું કરૂ
આગળની પોસ્ટ