પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પૂર્વ મિદનાપુરમાં એક રેલીને સંબોધત ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, બંગાળમાંથી ભાજપને હાંકી કાઢો અમે પીએમનો ચહેરો નથી જોવા માંગતા. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના મતદારોને અપીલ કરી હતી કે તેઓ ભાજપને મત ના આપે.
મમતા બેનરજીએ રેલીમાં જણાવ્યું કે, ભાજપને વિદાય આપો. અમે ભાજપ પસંદ નથી કરતા. અમે મોદીનો ચહેરો નથી જોવા માંગતા. અમે તોફાનો, લૂંટારા, દુર્યોધન અને દુઃશાસન નથી ઈચ્છતા. મમતાએ વધુમાં ઉમેર્યું કે, ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીમાંથી બળવો કરીને ગયા તેને ટિકિટ આપી છે. ભાજપના જૂના નેતાઓ ઘરમાં બેસીની રડી રહ્યા છે. પગમાં થયેલી ઈજા સંદર્ભે મમતા બેનરજીએ કહ્યું કે, પહેલા મારા માથામાં ઈજા કરવામાં આવી અને પછી પગમાં ઈજા પહોંચાડાઈ, પરંતુ હું એક યોદ્ધા છું.