ધોરાજીથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે,ધોરાજી પંથકના સફૂરા નદી કિનારાના ખેડૂતો ને આશા હતી કે ઉનાળામાં ખેતીમાં પિયતનો પાણી ઉપયોગમાં લઇ શકાય એમ નથી. આ નદીનું પાણી જો પાકને પિયતમાં આપવામાં આવે તો પાક બળી જાય એવી ભીતિ છે કારણ કે આ નદીમાં જેતપુરમાં સાડી ઉદ્યોગકારો દ્વારા કેમિકલ યુકત પાણી ઠાલવી દેવામાં આવે છે જેથી પાણીમાં કેમિકલનું પ્રમાણ હોવાને કારણે પાકને આં પાણી પિયત માટે આપવામાં આવે તો પાક પણ બળી જવાની ખેડૂતો ને ભીતિ છે.
સફુરા નદી દૂષિત હોવાની વાત ધોરાજીના નગર પાલિકાના ચીફ ઓફિસરએ સ્વીકારી ધોરાજી નગરપાલિકા હસ્તકની આ નદી ગણાય છે. ભૂતકાળમાં આ નદીની સફાઈ હાથ ધરવામાં આવી હતી અને ફરી સરકારની યોજના અનુસાર આ નદીનું સફાઈ હાથ ધરવામાં આવશે.