Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમરનાથના દર્શન માટે ૩૬૦૩ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના

અમરનાથ ગુફામાં કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે આજે વહેલી પરોઢે સઘન સુરક્ષા વચ્ચે ૩૬૦૩ શ્રદ્ધાળુઓનો કાફલો રવાનો થયો હતો. આ તમામ શ્રદ્ધાળુઓ ૧૫૩ વાહનોમાં રવાના થયા હતા. વહેલી પરોઢે ૩.૨૫ વાગે તમામ શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા હતા. આશરે ૯૦૦૦ શ્રદ્ધાળુઓ શનિવારે દરિયાઇ સપાટીથી ૩૮૮૮ મીટરની ઉચાઇ પર સ્થિત અમરનાથ ખાતે પહોંચ્યા હતા. આજે અમરનાથ યાત્રા ૧૭માં દિવસે આગળ વધી હતી. ગઇકાલે ૧૬માં દિવસે પણ આજ કરતા વધારે શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. જ્યારે શુક્રવારના દિવસે વાર્ષિક અમરનાથ યાત્રાના ૧૬માં દિવસે આશરે ૧૦૦૦૦ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓને સુરક્ષા આપવા માટે સેના, સીઆરપીએફ, સશસ્ત્ર સીમા બળ, ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ અને રાજ્ય પોલીસના ૩૫૦૦૦ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.આ વર્ષે હજુ સુધી બે લાખથી વધારે શ્રદ્ધાળુઓ અમરનાથમાં દર્શન કરી ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે, સોમવારે મોડી રાત્રે ૮.૨૦ વાગ્યાના આસપાસ ગુજરાતના અમરનાથ શ્રદ્ધાળુઓની બસ પર ત્રાસવાદી હુમલો કરાયો હતો જેમાં છ મહિલા સહિત સાત ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૩૨ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અમરનાથ ગુફાના દર્શન કરીને શ્રદ્ધાળુ પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો.
ગુજરાત રજિસ્ટ્રેશન નંબરની બસ બાલતાલથી જમ્મુ તરફ આવી રહી હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, અમરનાથ યાત્રાના કાફલાના ભાગરુપે આ બસ ન હતી. ગુજરાતી શ્રદ્ધાળુઓની યાત્રીઓની જીજે-૦૯-ઝેડ-૯૯૭૬ નંબરની બસ એકલી પરત ફરી રહી હતી. સાંજે ચાર વાગે શ્રદ્ધાળુઓનો કાફલો પરત આવી રહ્યો હતો. ત્યારે રાત્ર આ હુમલો કરાયો હતો. આ અગાઉ ૨૦૦૨માં પહેલગામમાં અમરનાથ યાત્રાળુઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૭ શ્રદ્ધાળુ સહિત ૨૭ના મોત થયા હતા. છેલ્લા ૧૮ વર્ષમાં ૫ ત્રાસવાદી હુમલા અરમનાથ યાત્રીઓ ઉપર થયા છે. ૪૦ દિવસ સુધી અમરનાથ યાત્રા ચાલનાર છે. અમરનાથ યાત્રા ૨૯મી જુનના દિવસે શરૂ થઇ હતી. હવે તે રક્ષા બંધનના દિવસે એટલે કે સાતમી ઓગષ્ટના દિવસે પૂર્ણ થશે. અમરનાથ યાત્રા બે રૂટ પરથી આગળ વધે છે. જે પૈકી એક પહેલગામ બેઝ કેમ્પથી ૪૬ કિલોમીટર લાંબા માઉન્ટેન ટ્રેકથી જારી રહે છે. જ્યારે અન્ય બલતાલ બેઝ કેમ્પથી ૧૪ કિલોમીટર લાંબા ટ્રેક મારફતે ચાલે છે.

Related posts

मुंबई में पाकिस्तान में ट्रेनिंग कर लौटा सूइसाइड बॉम्बर गिरफ्तार हुआ

aapnugujarat

૨૦૦ની નોટ એટીએમમાં ત્રણ મહિના બાદ ઉપલબ્ધ બનશે

aapnugujarat

એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેર : રોહિત શર્મા કેપ્ટન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1